વ્હાલા ભકતજનો,
હું ભગવાન – તમને કંઇક કહેવા માંગું છું
આજે તમને હુ તમારી જીદગી વિશે થોડા શબ્દો કહેવા માંગું છું. ધ્યાનથી વાંચજો. આજે તમારી જીંદગીના બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરી શકાય તેવો રસ્તો તમને બતાવવા માટે હુ અહિયા આવ્યો છું. અને હા… એટલું યાદ રાખજો કે તમારી મદદની મારે કોઈ પણ જગ્યાએ જરૂર પડવાની નથી. હું તમારી પાસે સીધો આવવાનો પણ નથી હુ તમારી પાસે કોઇ ને કોઇ રીતે આવી ને તમારી મદત કરી જઇશ. તમારે ફક્ત નીચેના મુદ્દાઓ યાદ રાખવાના છે અને એ મુજબ પાલન કરવાનો પ્રયત્ન કરવાનો છે :
- જીંદગી તરફથી એવી કોઈ સમસ્યા ઊભી થાય કે જે તમારાથી હલ ન થઈ શકે તો એને મારા નામની પ્રાર્થનાના પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. એના ઉપર – ભગવાનને માટે – એવું અવશ્ય લખવું. એક વખત આ બૉક્સમાં સમસ્યા મૂક્યા પછી વારંવાર એને બહાર કાઢીને તપાસ્યા ન કરવું. એનું નિરાકરણ ચોક્કસ થશે, પણ હા ! એ મારા સમયે, તમારા સમયે નહીં !
- ક્યારેક તમારે વાહન વગર ચાલીને કયાંય પણ જવાનુ થાય તો અફસોસના બદલે બંને પગે જેને પૅરાલિસિસ કે લકવો થયો હોય તેવી વ્યક્તિને યાદ કરજો. એમને એકાદ ડગલું પણ ચાલવા મળે તો એ લોકો કેટલો આનંદ પામે એનો વિચાર કરજો.
- ટ્રાફિકમાં ક્યારેય પણ ફસાયા હોય તો વધારે અધીરા ન બનશો, એવા લોકોને યાદ કરજો કે જેને માટે કાર ચલાવવી એ એક પરીકથાની વસ્તુ જેવું હોય.
- તમારા શેઠ કે સાહેબ તમને ક્યારેક ખિજાય તો એવા માણસોનો વિચાર કરજો કે જેમના નસીબમાં કામ કે નોકરી લખાયા જ ન હોય. જે સાવ બેકાર જીંદગી ગાળતા હોય.
- તમે ધંધાની કોઈ આફતમાં સંપડાઇ જાવ તો મૂંઝવણ ન અનુભવશો. ફકત એવા માણસોને યાદ કરજો કે જેની પાસે ધંધો જ ન હોય.
- તમારો એકાદ રવિવાર કે રજા ખરાબ જાય તો દુ:ખી થવાને બદલે એવા લોકોનું સ્મરણ કરી લેજો કે જેને કુટુંબનું પેટ ભરવા માટે રોજેરોજ કપરી મજૂરી કરવી પડતી હોય. જેનો એક પણ રવિવાર રજાનો દિવસ જ ન હોય.
- તમારી જીંદગીએ તમને શું આપ્યું છે એવો વિચાર કદીકેય આવે તો એવા લોકોને યાદ કરજો જે તમારા જેટલી ઉંમરે પહોંચ્યા જ ન હોય. એ પહેલાં જ જેને મૃત્યુ પામી ગયા હોય.
- કોઈ તમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે, તમારું અપમાન કરે, તમને નુકશાન પહોંચાડે તોપણ ખુશ એ વાતથી થજો કે તમે એ વ્યક્તિ નથી.
- કોઈ દિવસ અરીસામાં એકાદ સફેદ વાળ જોઈ જાવ તો કૅન્સરથી પીડાતાં નાનાં બાળકો કે નાની ઉંમરની વ્યક્તિઓને યાદ કરજો કે જે પોતાને વાળ હોય તેવી આશા રાખતાં હોય.
અને છેલ્લે….
હું તમારા બધા જ પ્રશ્નોનું નિરાકરણ જરૂર થી કરીશ જ, પણ ત્યાં સુધી તમારે મારા પર અડ્ડ્ગ વિશ્વાસ રાખવો પડશે. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમે મારા પર શંકા કરી તો ત્યાર પછી કયારેય પણ તમારી તે ઇસ્છા હુ ક્યારેય પણ પુરી કરીશ નહી. હુ માંગવા માટે બીજો મોકો આપતો જ નથી. માટે જે કંઇ પણ મારી પાસે થી માંગો તે અડ્ડ્ગ વિશ્વાસ થી માંગજો…
– આપ સૌનો ભગવાન
જો તમને આ બાબતો ગમી હોય તો તમારા સગાંવહાલાંને અને મિત્ર મંડળ ને વાંચવા માટે જરૂર થી આગ્રહ કરજો અને એમની પણ જીંદગી સુધારજો અને એથી પ્રેરણાય ને બીજા લોકો પણ નિશ્ચિંત થઈ જાય અને જીંદગી ની મજા માણી શકે.
Hello,
I go to your site.
It’s very intersting.